Thursday, December 29, 2016


GST WILL COME SOONER THAN YOU THINK


 One India ….. one tax.
No custom , no excise ,no octroi , no sales tax , no vat, no service tax.

Plus   DEMONETISATION : LESS CASH
More tax collection , less evasion of tax.

Less paper work , more persons under tax net.

 
All extra officers which will be freed from above departments , will be utilised for proper tax implementation, collection of data with the help of computers ,

There will be very less chance of tax avoidance.

Main point these officers will also be used for scrutiny of money deposited in the banks  between 10 november 2016 to 30 december 2016 , which we all thought ,how income tax officers are going to catch tax evaders who had deposited old 500Rs and 1000Rs. Notes.  

Wednesday, December 28, 2016

DEMONETISATION : THE UN TOLD SAGA

 
Lots  of people believe that, DEMONETISATION  is regarding removing existing black money from the economy.
well, in one way it is, but there are other benefits too like
 less terrorism, less corruption etc.
 
But the million dollar question is,  what would happen if  all the 500 Rs. and 1000 Rs. notes were replaced by new 2000 Rs. and 500 Rs. notes.? all the efforts and hardships faced by the government and the public would go in vain.
 
So the untold story is that the government IS NOT GOING TO REPLACE ALL MONEY CANCELLED. Without sufficient cash, or without large denomination currency, many of the problems like corruption, terrorism, parallel economy i.e. trading without bills, (with out paying taxes) will  won't work.
 
The second stage is GST when implemented, there will be less chance of avoiding of indirect taxes.because there won't be cash for trading and will have to pay by digital mode which is on record.
 
So what should one do, especially people in the parallel economy, should change their thinking and work within the lawful way by paying taxes.  

 

Saturday, July 10, 2010

આપણે જોયુ કે નફો વધે તો શેરનાં ભાવ વધી શકે અને નફો વધવાના થોડા કારણો પણ જોયા જેમકે
૧) Sales વધે ખાસ કરીને per unit value) વધે એટલેકે sales volume પહેલા જેટલું હોય તેના કરતા કાં તો થોડુ વધે પણ તેની Sales value એટલેકે પૈસા ની રીતે વધારે વધે . દાખલા તરીકે આગલા વરસે co. એ ૧૦૦૦ ટન કેમીકલ વહેચ્યું હોય જેની કીંમત 10 Rs/KG હોય પણ આ વરસે તેણે ૧૧૦૦ ટન વહેચાણ કર્યુ હોય અને તેની કીંમત 12 Rs/KG હોય એટલે કે આગલા વરસ કરતા તે 20% વધારે ભાવથી વહેચાણ કર્યુ.
તેવી જ રીતે તેણે જે કાચો માલ એટલે કે RAW MATERIAL વાપર્યુ હોય તેની કીંમત per unit આગલા વરસની સરખમણીમા ઓછી થઇ હોય અથવા તો ઓછી વધી હોય . દાખલા તરીકે આપણે જોયુ કે વહેચાણ કીંમત 20% વધારે થઈ તેમ કાચા માલની કીંમતમાં ફ્કત 10% નો જ વધારો થયો માટે co. નો નફો વધારે થઇ શકે છે. બીજુ આપણે જોયુ કે કેવી રીતે labour cost,power and electricity and fuel અને interest cost વગેરે માં બચત કરીને co. નફો વધારી શકે છે.
આપણે હવે બીજા મહત્વનાં કારણો જોઇયે જેનાથી આપણે co. નાં શેર લેવા કે વહેચવા તે નક્કી કરી શકીએ.
ઘસારો..( DEPRECIATION):આ એક ખર્ચ એવો છે જે કદાચ વધુ આવે તો કદાચ રાજી થવાય. કારણ કે ઘસારો એ actual ખર્ચ નથી પણ Asset નાં વપરાશ ઉપર લાગુ પડે છે. એટલે જ્યારે કોઇ નવી Asset co. એ લીધી હોય તો ઘસારો ખર્ચ વધી શકે છે. પણ એનો મતલબ એમ પણ થાય કે નવી મશીનનાં કારણે co. નું (Production ) ઉત્પાદન વધશે અને Wastage અને Labour cost ઘટશે. અને માલની ગુણવંતા વધશે જેના કારણે co. નો નફો વધશે..
બીજુ આપણને દર ત્રણ મહીને co. share holder (શેરધારક) નું list આપે છે . તેમાં જો promoter એટલે કે co. જેમણે ઉભી કરી અને ચલાવે છે તેમનું શેર હોલ્ડીંગ વધ્યું તો તે સારુ.. કારણ co. ને promoter થી વધારે સારી રીતે કોણ ઓળખે ? માટે તે લોકો જ્યારે co. નાં future ઉપર વિશ્વાસ હોય ત્યારે પોતાનાં શેર co. માં વધારે છે.
તેમજ જ્યારે કોઇ promoter share ગીરવે મુકે તો તે ખરાબ કહેવાય જે ધ્યાનમાં રાખવુ..

ક્યારેક કોઇ
એક વખતનાં માટે co. ને નફો કે નુકશાન થતુ હોય છે જેમકે કોઇ જગ્યાનું વહેચાણ કર્યુ હોય તો કદાચ મોટો નફો આવે પણ તે ધ્યાનમાં રાખવુ કે તે એક જ વાર આવશે માટે લાંબા ગાળામાં શેર ખરીદવા માટે આવો નફો બાદ કરવાનું અને પછી ગણતરી કરીને લેવા.
કદાચ કોઇ કારણસર co. ને મોટુ નુકશાન આવે જેમ કે ગયા વરસે બધી commodities નાં ભાવ એકદમ તુટી ગયા હતા તો co. માં જે ઉંચા ભાવનો કાચો માલ હતો તેમાં co. ઓ ને નુકશાન ગયુ હતુ. પણ જો આ નુકશાન ક્યારેક થાય તેવુ હોય તો તેને બાદ કરીને શેર લેવાની ગણતરી કરવી કારણ કે સારા શેર આવા વખતે ગણા સસ્તા મળી જતા હોય છે.

સૌથી અગત્યનું
આ બધી વાતો તો ભુતકાળની થઇ જે આપણે જોઇ પણ સૌથી અગત્યની વાત તો ભવિષ્ય જોઇ શકીએ તો આપણે ભવિષ્યમાં જે co. વધારે નફો કરશે તેના શેર આજે સસ્તામાં મળી શકે. આ આપણને co. નાં Notes માં જાણવા મળશે. જે દરેક Result માં છેલ્લે હોય છે.
એમાં ક્યારેક એમ હોય કે કોઇ નવો Plant આવતા ૨ કે ૩ મહિનામાં શરુ થવાનો હોય.
અથવા તો એમ હોય કે Maintanence નાં કારણસર co. એ ૨૦ દિવસ મશિન બંધ રાખ્યા હતા તો તેવા કારણે એટલા દિવસનો નફો ઓછો આવ્યો હોય પણ પછી સુધારા વધારા કર્યા પછી નફો વધારે આવે. માટે નફાની ગણતરી માં આ વાતોનું ધ્યાન રાખવાનું..

હમણા
Annual Report બધી co. ઓ ના આવે છે . તેમાં Director Report , Management Analysis વાંચવાથી પણ co. ની ભવિષ્યની યોજનાનો અણસાર આવે છે.

આમ આ બધી વાતો માં એ જ ધ્યાન રાખવાનું કે
દરેક વખતે co. નો નફો વધશે કે ઘટશે..?

આપણે આવક , ખર્ચ વગેરે આગલા વર્ષનાં તે જ વખતના આંકડા સાથે સરખાવાનુ એટલે કે march 2010 નાં આંકડા march 2009 સાથે સરખાવાનાં ..

આ સાથે આપણે જોવાનું કે

1)Dividend ..
co.
કેટલા ટકા Dividend આપે છે . એટલે શેર દીઠ કેટલા Rs. આપે છે . સાથે છેલ્લા ૫,૧૦ વર્ષ માં Regular Dividend આપે છે ? નફાનો કેટલા ટકા Dividend રૂપે share ઘારકોને આપે છે.
બે વસ્તુ એવી છે કે જેમાં co. એ પૈસા બહાર આપે છે . એક છે Tax અને બીજુ Dividend, માટે જ્યારે co. વાળા નફો દર વર્ષે વધારે ને વધારે બતાવતા હોય પણ Tax કે Dividend વધતો ન હોય તો તે શેરમાં સાવધાની રાખવી.સારી co. નાં શેર લેવાથી હર વર્ષે Dividend રૂપી આવક થાય છે. જે વખતો વખત વધારતા હોય છે . જે મોંઘવારી સામે આવક વધતી હોય છે .
2)Book Value.
co. દર વર્ષે જે નફો કરે અને Dividend આપ્યા બાદ જે નફો વધે છે તે Reserve માં જમા કરે છે . આમ Equity, Capital + reserve એ બન્ને મળીને Book Value થાય છે. દાખલા તરીકે co. ની Equity 1cr હોય તેની face value એટલે કે એક શેરની કીંમત 10 Rs. હોય એટલે ૧૦ લાખ શેર થયા. જ્યારે reserve માં પણ એક કરોડ Rs હોય તો તેની એક શેરની Book Value
1 cr Equity +1 cr Reserve = 2 cr..ભાગ્યા 10,00,000 share એટલે એક શેરની Book Value 20 Rs થાય..
ક્યારેક બજાર કીંમત Book Value કરતા ઓછી હોય તો ધ્યાનમાં રાખવાનું. આમાં જુની co. હોય તો તેની Book Value હોય તેના કરતા વધારે તેની Asset ની Value એટલે કે જમીન, મશીન વગેરેની કીંમત થઈ શકે છે.
અને જ્યારે નવી co. હોય અને Face Value + Premium માં issue આપ્યાં હોય તો Reserve વધી જાય પણ સાથે Book value પણ વધી જાય. તેની કીંમત શેરનાં ભાવની ગણતરી કરતી વખતે ઓછી રાખવાની. કારણ કે પૈસા ધંધા માથી નથી કમાણા..પણ Premium નાં આવ્યા છે.
3) E.P.S......EARNING PER SHARE
એટલે કે એક શેર દિઠ co. એ કેટલો નફો કર્યોં. એટલે કે જેટલો Net profit થાય . બધા ખર્ચા,Tax ને બાદ કરીને એને Total No.Of share થી ભાગાકાર કરીને જે આવે તેને E.P.S કહેવાય .. ઘણીવાર ઘસારાને આ નફામાં જોડીયે તો તે C.E.P.S કહેવાય..CASH EARNING PER SHARE..
4) P.E . RATIO...
PRICE EARNING RATIO = market price DIVIDED by E.P.S
એટલેકે co. નાં નફાનાં કેટલા ગણા પૈસા થાય એટલે કે એક co. આટલો જ નફો દર વર્ષ કરે તો તે કેટલા વર્ષ પછી પાછા મળે. આ Ratio એટલા માટે important છે કે આપણા એક શેરના માટે વધારે પૈસા નથી આપતા ને ?
જેમ આપણે એક દુકાન લઈયે અને વિચારીએ કે આપણું રોકાણ પાછુ મેળવતા કેટલા વર્ષ થાશે. તેવી રીતે જો આપણે ૧૦ નાં કે તેનાથી ઓછા P.E માં કોઇ શેર લઇએ તો તે બરોબર. પણ વધારે P.E માં લેવાથી તે Risky થઇ જાય છે . ઘણી Growth વાળી co. ઓ ના p.e Ratio ઉંચા હોય છે. કારણકે તે co. દર વર્ષે વધારે ને વધારે નફો કરતી હોય છે . આ co. ઓ નવા મશીન , નવી Factory , નીત નવી Product બજારમાં મુકતા હોય છે . જેના કારણે તેમનાં નફા હંમેશા વધતા હોય છે . અને ઘણી Cyclical co. ઓ હોય છે.તેને ઓછા P.E આપવા જોઇએ જેમકે શીપીંગ ,Iron ore , Sugar,copper, cement વગેરે એટલે કે મોટા ભાગની commodity ની co. ઓ ,આ co. ઓ ની એક ખાસીયત એ હોય છે કે ક્યારેક આ co. ઓ ખૂબ નફો કરતી હોય છે અને ક્યારેક Demand માં ન હોવાના કારણે તેના product નાં ભાવ તુટી જતા હોય છે ત્યારે તે નુકશાની પણ કરતી હોય છે . માટે p.e Ratio ને ખૂબ ધ્યાન આપવુ..

Saturday, April 24, 2010



શેર એટલે ભાગ, આપણે શેર લેવા એટલે કોઇના ધંધામાં ભાગીદાર થવું.મોંઘવારી ની સામે લડવુ હોય તો ધંધા માં રોકાણ કરાય તેમાં પણ પોતાનો ધંધો સૌથી સારો, કારણકે તે ધંધાની અંદર બહાર બધી આપણને ખબર હોય છે.પણ ઘણીવાર એમાં વધારો કરવાનું મર્યાદીત હોય છે..માટે આપણે બીજા નાં ધંધામાં ભાગીદાર થઈએ.જેમ મોંઘવારી વધશે તેમ company વાળા ભાવ વધારતા જશે અને સાથે નફો પણ વધારતા જશે.
શેર લેવાથી આપણને dividend રૂપે આવક થાય છે અને વખત જતા તેના ભાવ પણ વધે છે એટલે મુડી પણ વધે છે.
શેર આપણે બે રીતે લઈ શકીએ, primary market ,secondary market...primary market એટલે નવા issue ભરવાનાં , લાગે એટલે વેચી નાખવાનાં..
secondary market એટલે B S E EXCHANGE ,N S E EXCHANGE માં શેર વેચાતા
Tax Benefit :
શેરબજારમાં short term એટલે 1 Day to 365 Day short term Tax લાગે છે. જ્યારે 1 year પછીનો નફો totally Tax free છે. માટે Tax ની નજરે એ ખૂબ સારુ છે.
Liquidity:
હમણા વરસ પહેલા (2008) આટલી બજાર ખરાબ હોવા છતા payment crises ઉભી ન થઇ તેનું કારણ છે તેના નિયમો કે શેર વહેચો એટલે તમને ત્રીજા દિવસે પૈસા મળી જાય છે . બીજા બજારની જેમ ૩૦ થી ૬૦ દિવસ નો ધારો નથી..
Small amount:
100Rs જેવી નાની રકમ થી પણ શેરમાં રોકાણ થઈ શકે છે.વધારે રકમની કોઇ મર્યાદા નથી..
Fix place:
દુનીયાનાં કોઇ પણ છેડામાં બેસીને તમે અહીં શેરમાં રોકાણ કરી શકો છો .તેના માટે દુકાન પર કે factory પર રોજ બેસવાની જરૂર નથી, હવે internet થી, ફોન થી પણ શેરની લે વેંચ કરી શકાય છે. જેમકે આપણે ફરવા ગયા હોઇયે ત્યાંથી પણ આપણે શેરની લે વેચ કરી શકીયે છે.
HLL,CIPLA, WIPRO,INFOSYS,RELIANCE વગેરે સારી કંપની માં રોકાણ કંઇક ગણા થઈ ગયા છે. DIVIDEND
હા, સારી કંપની ગોતવાનુ કામ અઘરુ છે પણ અશક્ય નથી.
હુ એવા ઘણા લોકોને ઓળખુ છુ કે જેમને ઘર, ઓફીસ, લગ્ન,વિદેશમાં ભણતર વગેરેનાં ખર્ચ શેરમાર્કેટ માંથી કમાવી ને કાઢયા છે.
શેરમાં રોકાણ બે રીતે કરી શકાય છે..Fundamental Analysis & technical Analysis
Fundamental Analysis: (F.A)
મારુ પોતાનુ એમ માનવુ છે કે F.A એ જ ખરુ છે ..શેરમાં રોકાણ કરવાની સાચી રીત એ જ છે.
F.A એટલે કોઇ પણ કંપનીનો નફો , મૂડી, શેર ઘારકો ,promoter , finish product, વગેરે નું ધ્યાન રાખવુ તે.
ટુંકમાં કહુ તો કોઇ પણ શેરનો ભાવ શા માટે વધવો જોઇયે?
જો કંપનીનો નફો વધે તો તે કંપનીનાં શેરનાં ભાવ વધવા જોઇયે. આમ જોવો તો આ ખૂબ સીધી અને સરળ વાત છે. પણ એક કંપનીનો નફો વધવા પાછળ ઘણા કારણો હોઈ શકે.
દાખલા તરીકે...
સેલ વધે : કોઇ પણ કારણસર કંપનીનુ સેલ વધે તો નફો વધી શકે. finish product નાં ભાવ વધે અને સાથે sales ની QUANTITY પણ વધે તો તે સારી વાત કહેવાય.
પણ sales Quantity ની રીતે વધે છે પણ પૈસાની રીતે એટલો ખાસ નથી વધતો તો તે વાત ચિંતાજનક કહેવાય.
excise tax વગેરે ઘટે:
એટલે કે ખર્ચા ઘટે તો નફો વધી શકે.
labour cost:
પગાર ઘટે તો નફો વધી શકે. પણ પગાર તો કોઇ દિવસ ઘટતા જ નથી.
પણ કોઇ કંપની Production capacity વધારે, કોઇ એવા મશીન બેસાડે જેના કારણે ઓછા માણસ જોઇયે outsourcing એટલે કે બહારથી અમુક કામ કરાવે વગેરે કારણો થી પગાર ખર્ચ ઓછા કરી શકાય.
Power & Electricity:
Furnace oil, કોલસો, વિજળી વગેરે નો વ્યય અટકાવી, Efficiency વધારે એવા ઉપકરણો વસાવીને ખર્ચ બચાવી શકાય. જેમ કે હમણા C.N.G, L.N.G નો વપરાશ વધતો જાય છે . કારણકે તેનો ખર્ચ Furnace oil વગેરે કરતા ઓછો આવે છે. તેવી જ રીતે કંપની ઓ પવન ચક્કી બેસાડે છે. જેના કારણે વિજળી વર્ષો સુધી મફતમાં જ મળે છે.
ઘણી Sugar mill વાળાઓ એ શેરડી નાં કુચા માં થી વિજળીનું ઉત્પાદન કરે છે . એટલે કે કચરામાં થી વિજળી નું ઉપજન કરવું..
Truck ને બદલે દરીયા થી માલ મોકલવો. આમ ઘણી બધી રીતે power , fuel, electricity.Transportation cost co. વાળાઓ બચાવે છે. જેના કારણે નફો વધતો જાય છે.
Interest cost:
જેમ વ્યાજનાં દર ઘટે તેમ જે કંપનીઓ એ વ્યાજે પૈસા લીધા હોય તેમને ફાયદો થાય છે. સારી શાખ ધરાવતી કંપનીઓ ને ઓછા વ્યાજે પૈસા મળે છે. Debt free co. એ એટલે કે જે Co. એ વ્યાજે પૈસા ન લીધા હોય કે પોતાની મૂડીનાં પ્રમાણમાં ખૂબ જ ઓછા પૈસા લીધા હોય તે Co. ઓ ખૂબ જ સારી હોય છે.
વર્ષ ૨૦૦૮ માં જે દૂનીયામાં તકલીફો આવી એમાં સૌથી વધુ તકલીફ એ જ Co. ઓ ને થઈ જેણે વ્યાજે પૈસા વધારે લીધા હોય. Debt free Co. ઓ ને કોઇ ખાસ તકલીફ ન આવી. અને જ્યારે બજાર સુધરી ત્યારે Debt free Co. ઓ ખૂબ જ સારી રીતે આગળ આવી.
આમ નફો વધે તો સીધો લાભ શેર નાં ભાવ ઉપર થઇ શકે છે . અને નફો શું કામ વધે તેના થોડાક કારણો આપણે જાણ્યાં....
કંપની વાળાઓ નીયમ પ્રમાણે દર ત્રણ મહીને Result બતાવે છે. જે છાપા , Internet ઉપર www.bseindia.com, www.nseindia.com વગેરે જગ્યાએ જોઇ શકીએ છે.
તેમજ છાપામાં Commodities નાં ભાવ, કાર, સિમેન્ટ વગેરે નાં Sales નાં આંકળા આવતા હોય છે. જેના કારણે આપણે અંદાજો બાંધી શકીએ. કે કઈ Co. નો નફો વધી કે ઘટી શકે. આવી જ રીતે હવે આખી દૂનીયા Globalisation નાં કારણે એક થઈ ગયુ છે. માટે આપણે બીજા દેશનાં Commodities નાં ભાવ, બીજા દેશનાં ચલણ વગેરેનું પણ ધ્યાન રાખવાથી ફાયદો થાય છે. જે છાપામાં ટીવીમાં આવ્યાં કરતુ હોય છે.
શેરમાં રોકાણ કરવાનાં માટે બીજા ઘણા કારણો ધ્યાનમાં રાખવાનાં હોય છે જે તમને આવતા હપ્તે કહીશ.




રૂપે Bonus રૂપે રોકાણકારો ને ખૂબજ વળતર મળ્યું છે.

લઈ શકીએ. એના માટે આપણને Demate a/c, Bank a/c, Pan Card ની પણ જરુર પડે છે.શેરમાં રોકાણ HIGH RISK નું હોય છે પણ વળતર પણ Highest મળે છે. ધ્યાન દઈ સમજીને રોકાણ કરીએ તો ચોક્કસ લાભ થાય છે.

Saturday, March 6, 2010

આપણે પહેલા હપ્તામાં વાંચ્યું કે

આપણે અહીં રોકાણ એટલે શું ?

કેવી રીતે ટીપે ટીપે સરોવર ભરી શકાય?

બચત કેમ કરવી ?,તે રકમ કેવી રીતે રોકવી તે વિષે વાત કરશું..

બચત શું કામ કરવી જોઇયે?

અને

શા માટે આપણે પૈસા બચાવવા જોઈયે?

આજે આપણે જોશુ કે રોકાણ કરતી વખતે શું ધ્યાનમાં રાખશું.?


સમય..

એટલે કે આપણી પૈસાની જરુરત અલગ સમય માટે ની હોય છે .ટૂંકાં ગાળા માટેની હોય છે. ટૂંકા ગાળા માટે આપણે પોસ્ટ ઓફીસ, મન્થલી ઇન્કમ સ્કીમ, બેંક FD વગેરેમાં રોકાણ કરી શકીયે. જ્યારે RBI BOND,,NABARD BHAVISHYA,NIRAMAN BOND વગેરે MEDIUM ગાળા માટે અને લાંબા ગાળા માટે PPF SHARE,GOLD,REAL ESTATE મા રોકાણ કરી શકાય છે.

૨) RISK..

બીજું આપણે RISK FACTER ધ્યાનમાં રાખવાનું. જેમ RISK.ઓછું હોય વળતર પણ ઓછું હોય છે .તેમ જ RISK વધારે હોય તો વળતર પણ વધૂ મળવાની શક્યતા છે.

જેમ કે પોસ્ટઓફીસ સેવિંગ સ્કીમ માં RISK ઓછુ હોય છે એમ વળતર પણ ઓછુ હોય છે જ્યારે શેરબજારમાં વળતર વધુ મળે છે તેની સામે RISK પણ વધારે હોય છે..

૩) TAX...

દરેક રોકાણ કરતી વખતે આપણે TAX પછી RETURN કેટલું છે . તે ધ્યાનમાં રાખવુ જરૂરી છે.PPF જેવી સ્કીમમાં લાંબાં ગાળા નું PLANNING કરી શકાય છે. આમાંથી આવક પાછી TAX FREE હોય છે.

૪) મોંઘવારી..

આપણે કદાચ હમણાં ૧૦.૦૦૦ માં ઘર ચલાવી શકીયે છે પણ શું ૨૫ વર્ષ પછી એ શક્ય છે? ના, કારણકે મોંઘવારી નાં કારણે ખર્ચ ખૂબ વધી ગયાં હશે. શાળાનો અને બીમારી નો ખર્ચો કદાચ આપણી ૮-૧૦ % ની આવક કરતા વધારે વધે છે . તો તેની સામે આપણે શેર, સોનુ અને જમીન માં રોકાણ કરી શકીયે..

પણ આપણે એક વાત ખાસ ધ્યાન માં રાખવાની છે કે આપણે જે પણ રોકાણ કરીએ છે તે ASSET કહેવાય કે LIABILITY તે નક્કી કરવું જરૂરી છે..

ASSET એટલે શું ?

ASSET એટલે જે રોકાણ માં થી આવક થાય અને ખર્ચ , આવક કરતા ખૂબ ઓછો અથવા જરા પણ ન હોય તેને ASSET કહેવાય..

દાખલા તરીકે આપણે ગાડી લીધી, તો એને ASSET કહેવાય ?

ના, કારણ ગાડી લીધા ભેગી એની કીમત ઘટી જાય છે એનો રોજનો પેટ્રોલ અને વીમાનો ખર્ચો આવે છે . માટે તેને ASSET ન કહેવાય .પણ હા, જો આ ગાડી ભાડે આપવા માટે લીધી હોય તો તેને ASSET કહેવાય.

તેવી જ રીતે રહેવાનું ઘર હોય તેને શું કહેશું ?

તેમાંથી આવક તો થતી નથી, પણ MAINTENANCE લાગ્યા કરે છે. અને મોટી LOAN હોય તો વ્યાજ પણ લાગ્યા કરે છે. પહેલું ઘર હોય તો બરોબર છે , પણ જરુરીયાત ૨ BHK ની હોય અને આપણે ૪ BHK નું લીધુ હોય તો?

જરૂરીયાત માટે જે ખર્ચા હોય તે બરોબર છે, પણ એ ઘરને સજાવવામાં (INTERIOR DECORATION) આપણે જે ખર્ચ કરીયે છે એને આપણે શું કહેશું ?

એમાથી જરૂરીયાતની વસ્તુ કેટલી હોય છે ? અને દેખાવો કેટલો હોય છે ?

એ આપણે વિચાર્યું છે?

આ મારા વિચારો છે..કદાચ કોઇને ન ગમે, પણ હકીકત પણ છે..કે આ મોંઘવારીના જમાના મા પણ આપણે બચત કરતા ખર્ચ વધારે કરીયે છે..

હા, જો આપણી પાસે પૈસા વધારે હોય તો આપણે ઘર , ઓફીસ, ગોડાઉન, દુકાન વગેરે લઈને ભાડા ની આવક ઉભી કરી શકીએ . સાથે વખત જતા જગ્યાનાં ભાવ પણ વધતા જાય છે. જે મોંઘવારી સામે રક્ષણ આપે છે..

જગ્યામાં રોકાણ કરતી વખતે ધ્યાનમાં રાખવાનું કે

૧) એમાં રોકાણ મોટુ કરવું પડે છે.

૨) લેવા અને વેચવાની રીતો એટલી સરળ નથી.

૩) LEGAL DOCUMENTS પર આપણે બરોબર ધ્યાન આપવું જોઇયે..

હવે તો REAL ESTATE MUTUAL FUND આવે છે જેમાં નાનાં રોકાણકારો પણ લાભ લઈ શકશે.

GOLD:

હમણા સગામાં એક બહેન ને કહેતા સાંભળ્યા હતા કે

" હું તો ક્યારુણી કહેતી હતી કે સોનાના દાગીના કરાવી દ્યો પણ અમારાં ઘરવાળા માનતા જ નથી ને. ભગવાન ન કરે પણ જો વખત ખરાબ આવે તો દાગીના વેચી શકૂ અને સોનાનો ભાવ તો હંમેશ વધે જ છે ને .."

હા , એમની વાત સાચી છે કે વખત ખરાબ આવે તો દાગીના કામ લાગે .પણ વેચવા જાઈયે ત્યારે મજુરી અને રેણ કાપીને મળે એનું શું?

તો આપણે સોનાના દાગીનાની બદલે લગડી લઈયે તો ?જેમાં મજુરી અને રેણ કપાતી નથી પણ હા LOCKER CHARGE અને WEALTH TAX લાગું પડે છે . તો હવે GOLD FUND જે NSE EXCHANGE ઉપર TRADE થાય છે તે લઇ શકાય છે જેમાં ૧ ગ્રામ જેટલી નાની QUANTITY પણ લઈ શકીયે છે . અને આ સોનુ DEMAT A/C મા આવે છે ,જેથી લોકરનો ખર્ચો નથી લાગતો. અને WEALTH TAX પણ FREE છે . આમ ASSET વધારે ને વધારે ભેગી કરવી જોઇયે અને બને એટલી LIABILITY કે LOAN લઈને ખર્ચા વધારવા ન જોઇયે.

આ જ રીતે જૂના સિક્કા, CURRENCY, NOTES, STAMPS, ANTIQUES, PAINTINGS વગેરે માં પણ રોકાણ કરી શકાય છે..

શેરબજાર...(SHARE MARKET)

"શેરબજારમાં તમે ૧૦ દિવસમાં દસ લાખ રૂ. કમાઈ શકો?"

જવાબ મળ્યો કે " હા સાહેબ, ૧૫ લાખ રૂ. લઈ આવીએ તો ખાત્રી પુર્વક ૧૦ લાખ થઈ જાશે."

શું શેર નાં ભાવ ખૂબ ઘટી ગયા છે એટલે શેર લેવા જેવા છે ?

શું A GROUP માં શેર સારા અને બાકી બધા ખરાબ શેર છે?

શું આ શેર બજાર છે ?

ના, આ સટ્ટા બજાર છે.

આપણે શેરબજારની વાત આવતા હપ્તા માં કરશું..આપના વિચારો પણ જરુર થી જણાવશો..



Wednesday, February 17, 2010


આપણે અહીં રોકાણ એટલે શું ?
કેવી રીતે ટીપે ટીપે સરોવર ભરી શકાય?
આપણી આખી જિંદગી સુખેથી પસાર થાય.કોઇની પાસે મદદ ન માંગવી પડે, અને સ્વમાનથી જીવીયે તે વાત કરવા આ બ્લોગ શરૂ કર્યો છે..મને જે બરોબર લાગ્યું એ હું કહુ છું..આપ સર્વે આપનો મત જરૂર જણાવશો..
રોકાણ એટલે શું ?
રોકાણ કરવા માટે આપણે બચત કરવી બહુ જરૂરી છે..આપણે એવી રીતે પૈસા રોકીયે કે આપણને તેમાંથી વળતર મળે અને બેઠી આવક ઊભી કરી શકાય..
"It is like making money work for you"
પૈસો પૈસાને ખેંચે.
આ માટે આપણે પૈસા ઉધાર પણ લઈ શકીયે,જેમાં આપણાં વ્યાજ ખર્ચ કરતા આવક વધુ થવાની શક્યતા લાગતી હોય.અથવા તો આપણે બચત કરીને પોતાનાં પૈસા રોકી શકીયે.
હવે આપણે અહીં બચત કેમ કરવી ?,તે રકમ કેવી રીતે રોકવી તે વિષે વાત કરશું..
આપણી આવક સમજો કે ૧૦૦ રૂ.. હોય અને આપણો ખર્ચ ૮૦ રૂ.. હોય તો ૨૦ રૂ.. બચે..તે આપણી બચત તો તે રકમ આપણે રોકીયે..
બાંધી આવક હોય હોય .senior person. હોય retire થઈ ગયા હોય તો આપણે બીન જરૂરી ખર્ચા ઉપર ધ્યાન આપીને તે ઘટાડી શક્યે. અને બચત વધારી શકીયે..
બચત શું કામ કરવી જોઇયે?
વ્યક્તિની life નાં શરૂનાં વર્ષો જન્મથી લઈ ૨૦-૨૨ વર્ષ સુધી ભણતરનાં હોય છે. આવક ન હોવાના કારણે બચત કરવી મુશ્કેલ છે. પણ આજ કાલનાં બાળકોને pocket money મળે છે તે લોકો કદાચ બચાવી શકે.
પણ ૨૨ વર્ષ - ૪૫ વર્ષ કમાવાના વર્ષ હોય છે.. પાછી આ ઉંમરનાં ગાળામા ખર્ચા ઓછા અને આવક વધતી હોય છે. આ ગાળામાં સૌથી વધૂ રોકાણ /બચત કરવું જોઇયે. તેનાં કારણ બે છે..
એક આપણા ખર્ચા ત્યારે ઓછા હોય જેમકે ૪૫ વર્ષ પછી બાળકો નાં higher education expense, marriage exp.. આપણી ઉંમરના હિસાબે medical exp..વધી જતા હોય છે..
બીજુ જેટલુ જલ્દી invest કરવાનુ ચાલુ કરીયે તેટલી વધારે મૂડી ઉભી થાય છે ..

આ છે compounding interest.  effect..
એક વ્યક્તિ ૨૨ વર્ષની ઉંમરે investment કરે છે તે ૧૦ વર્ષ સુધી ૧૦,૦૦૦, 8% p.a કરે છે . total invest..1,00,000 રૂ. થાય છે .જેનુ વળતર ૬૦ માં વર્ષે 14.57 lakh મળે છે ..
જ્યારે બીજી વ્યક્તિ 31 વર્ષે ૧૦,૦૦૦..૩૦ વર્ષ સુધી રોકાણ કરે છે તો ૬૦ માં વર્ષે તે ૧૨.૩૩ લાખ થાય છે..
પહેલી વ્યક્તિ ૧ લાખનું રોકાણ કરે છે
અને
બીજી વ્યક્તિ ૩ લાખનું રોકાણ કરે છે
છતાં પહેલી વ્યક્તિ કરતા ૬૦ વર્ષ પછી ઓછું વળતર મળે છે..એનુ કારણ એટલુ જ કે પહેલી વ્યક્તિને ૧૦ વર્ષ પછી એટલે કે ૧૧ માં વર્ષથી ૧ લાખનાં રોકાણ પર ૧૦,૦૦૦ રૂ.. કરતા વધારે વ્યાજ મળતું થાય છે..
૪૫ વર્ષ પછી પણ ૬૦-૭૦ વર્ષ સુધી આપણે પૈસા કમાવી શકશું પણ ત્યારે ખર્ચા મોટાં આવશે એટલે બચત ઓછી થશે.માટે બને તેટલું નાની ઉમરમાં બચત કરવાને કોશિશ કરવી.
આખી જિંદગી પડી છે કમાવા માટે એમ કહી ને પૈસા ઉડાવી ન દેવાય..
બચત શા માટે ?
સર્વેને ,ખાસ કરીને કે નાની ઉમર ના ઓ ને ખાસ એવું થાય કે આપણે પૈસા બચાવીને કરવું છે શું?
શા માટે આપણે પૈસા બચાવવા જોઈયે?
૧) બાળકોનાં ભણતર માટે..ખાસ તો ઉચ્ચ શિક્ષણ માટે..
૨) બાળકોનાં લગ્ન માટે
૩) આપણાં મનોરંજન માટે..મુસાફરી માટે
૪) સોનું લેવા માટે
૫) આપણી તબીયત માટે
૬) અને આપણે જ્યારે retirement લઈયે ત્યાર માટે..
બાળકોનાં ભણતર માટે શરુઆતનાં વર્ષંમાં ઓછા પણ પછી ઉચ્ચ શિક્ષણ માટે વધુ પૈસા જોઇયે.
આપણે જ્યારે ૨૫ વર્ષ થી ૪૫ વર્ષનાં હશું ત્યારે આની માટે પૈસા જોઇશે..
પછી બાળકનાં લગ્ન માટે આપણને આપણી ૪૫ વર્ષની ઉમર પછી પૈસા જોઈશે..
તબીયત અને retirement માટે પછી પૈસા જોઇશે..
તો રોકાણ કરતી વખતે આપણે શું ધ્યાન માં રાખશું એ આપણે આ વિચારો નાં બીજાં હપ્તા માં જોશું.